7 8 2022 g3q quiz questions answers

1. પંચમહાલ જિલ્લાના ખેડૂતો માટે સિંચાઈ ક્ષેત્રે કયું પગલું ભરવામાં આવ્યું છે?
Answer: પાનમ ઉચ્ચ સ્તરીય સિંચાઈ નહેરનું નિર્માણ

2. ખેતી પછી, ગ્રામીણ ગુજરાતમાં બીજો સૌથી વધુ વ્યાપક વ્યવસાય કયો છે?
Answer: પશુપાલન

3. 2014 પછી ભારતના એકમાત્ર એવા વડાપ્રધાન કોણ છે, જેમણે દરેક રાજ્યમાં નવા IIT, NIT, IIM ખોલવાની પહેલ કરી અને સેટઅપ કર્યું?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

4. પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો.
Answer: વલભી વિદ્યાપીઠ

5. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ હેઠળ કઇ યોજનામાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ 'ફૂડ બિલ આસિસ્ટન્સ' મેળવવા માટે અરજી કરી શકે છે?
Answer: VKY-7

6. ગુજરાતના થર્મલ પ્લાન્ટની ક્ષમતા કેટલી છે?
Answer: 14000 MW

7. ખનીજ ચોરી સામેની ફરિયાદ માટેની મોબાઈલ એપ કઈ છે ?
Answer: GujMine

8. 'PM - ગતિશક્તિ' યોજનાની દેખરેખ માટે કયું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે ?
Answer: BISAG-N

9. કેન્દ્રીય બજેટ 2022માં અંતરિક્ષ વિભાગને કેટલા પૈસા ફાળવવામાં આવ્યા છે?
Answer: ₹ 13,700 crore

10. 'મા અન્નપૂર્ણા યોજના' હેઠળ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને ઘઉં કેટલાં રાહતદરે આપવામાં આવે છે ?
Answer: રૂ. 2 પ્રતિકિલો

11. નીચેના પૈકી કઈ નવલકથાના લેખક ચંદ્રકાંત બક્ષી છે ?
Answer: પેરેલિસિસ

12. ગુજરાતના પ્રથમ મહિલા કેબિનેટ મંત્રી તરીકે કોની વરણી થઇ હતી ?
Answer: શ્રીમતી ઈન્દુબહેન શેઠ

13. સોમનાથ મંદિરનો જિર્ણોદ્ધાર કયા કાળ દરમિયાન થયો હતો ?
Answer: સોલંકીકાળ

14. ગુજરાતના એકમાત્ર હેરિટેજ રૂટનું નામ શું છે ?
Answer: દાંડી હેરિટેજ રૂટ

15. મહાત્મા મંદિર ગુજરાતમાં ક્યાં આવેલ છે ?
Answer: ગાંધીનગર

16. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?
Answer: રણજિતરામ વાવાભાઈ

17. શ્રી મોટા, શ્રી અંબુભાઇ પુરાણી, શ્રી છોટુભાઇ પુરાણી અને શ્રી દત્તાત્રેય મજુમદાર કઇ પુસ્તકશ્રેણીની પ્રેરણામૂર્તિ તરીકે ઓળખાય છે?
Answer: વ્યાયામ વિજ્ઞાનકોશ

18. 'પહાડનું બાળક' તરીકે કોણ ઓળખાય છે?
Answer: ઝવેરચંદ મેઘાણી

19. કાલિદાસનું કયું કાવ્ય દૂતકાવ્ય છે ?
Answer: મેઘદૂત

20. ભારતીય સંગીતમાં કુલ કેટલા સ્વર છે ?
Answer: સાત

21. પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ કોણે આપી હતી?
Answer: ઝામોરીન

22. નીચેનામાંથી સપ્તર્ષિમાંના કયા એક ઋષિ છે?
Answer: અત્રિ

23. રામપ્રસાદ બિસ્મિલ કઈ ઘટના સાથે સંકળાયેલા હતા?
Answer: કાકોરી ટ્રેન કાંડ

24. હોમરૂલ આંદોલનનું વર્ષ જણાવો.
Answer: 1916

25. ગ્રામ વન ઉછેર યોજના, ગ્રામવન પિયત અને ગ્રામવન બિનપિયત તરીકે ક્યારથી ઓળખાય છે ?
Answer: સને 2010-11થી

26. કયા 'વન'નું ઉદ્ઘાટન પરંપરાગત ગુજરાતી પોશાકમાં 501 નવદંપતીઓ દ્વારા વિશિષ્ટ રીતે વૃક્ષારોપણથી કરવામાં આવ્યું હતું ?
Answer: માંગલ્ય વન

27. પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ક્યારે થઈ ?
Answer: 1973

28. સરકારે ‘સ્વચ્છ હવા માટે સ્વચ્છ અને સ્વસ્થ ભારત’ મીની મેરેથોનનું આયોજન કયા વર્ષે કર્યું હતું ?
Answer: 2017

29. ભારત કયા પ્રકારનાં પવનોનો પ્રદેશ છે ?
Answer: મૌસમી

30. ઝારખંડનું રાજ્ય પક્ષી કયું છે ?
Answer: કોયલ

31. ગુજરાત સરકાર દ્વારા નબળા વર્ગની કન્યાઓને લગ્ન માટે આર્થિક સહાય આપતી યોજનાનું નામ શું છે ?
Answer: કુંવરબાઈનું મામેરું યોજના

32. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ કયા વિભાગ હેઠળ સમાવિષ્ટ છે ?
Answer: વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ

33. ગુજરાત રાજ્યમાં પર્યાવરણ ક્ષેત્રે સંશોધન વિકાસના કાર્ય અંગે તાલીમ આપતી મુખ્ય સંસ્થા કઇ છે ?
Answer: ગુજરાત એનવાયરમેન્ટ મેનેજમેન્ટ સંસ્થા

34. ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી હેઠળ કયા વાહનને આવરી લેવાયું છે ?
Answer: બસ

35. શક્તિ(પાવર)નો એકમ શું છે?
Answer: વૉટ

36. સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કીંગમાં 2019માં બેસ્ટ પરફોર્મર સ્ટેટ તરીકે કયા રાજ્યને જાહેર કરવામાં આવ્યુ છે ?
Answer: ગુજરાત

37. મે 2018 થી ઇ-ગુજકોપ એપ વડાપ્રધાન કાર્યાલયના મૂલ્યાંકનમાં સતત કયું સ્થાન મેળવે છે?
Answer: પ્રથમ

38. ભારત સરકારે 10મી ફેબ્રુઆરી, 2016ના રોજ જમ્મુ અને કાશ્મીર માટે કેટલી ઇન્ડિયા રિઝર્વ (આઇઆર) બટાલિયનની સ્થાપનાને મંજૂરી આપી હતી?
Answer: 5

39. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના યુવાન પોલીસ અધિક્ષકો અને સીએપીએફના કમાન્ડન્ટ્સ માટે ત્રીજી રાષ્ટ્રીય પરિષદનું આયોજન કોણે કર્યું હતું?
Answer: બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ

40. ટેલિમેડિસિન શું છે ?
Answer: દૂરસંચાર તકનીક દ્વારા દર્દીઓનું દૂરસ્થ નિદાન અને સારવાર.

41. 'રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 7 નવેમ્બર

42. પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન (PMGS-NMP) ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો?
Answer: 13 ઓક્ટોબર, 2021

43. અટીરા(ATIRA) શાના માટે જાણીતું છે ?
Answer: કાપડ સંશોધન

44. ભારતમાં ગ્રેફાઇટનો સૌથી વધુ સ્ત્રોત કયા રાજ્યમાં છે?
Answer: અરુણાચલ પ્રદેશ

45. નીચેનામાંથી કયું ભારતના 'ખનિજના ભંડાર' તરીકે ઓળખાય છે?
Answer: છોટા નાગપુરનો ઉચ્ચપ્રદેશ

46. ગુજરાત સરકાર દ્વારા ' શિક્ષણ સહાય યોજના' હેઠળ મેડિકલ, એન્જિનિઅરિંગ ,એમ.બી.એ., એમ.સી.એ.અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે?
Answer: રુ. 25000/-

47. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ 'પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન યોજના' હેઠળ લાભાર્થી દ્વારા ચૂકવણી કરવાની પ્રીમિયમની મહત્તમ રકમ કેટલી છે?
Answer: રૂ. 200/-

48. CAA- 2019 હેઠળ કેટલા સમુદાયોને ભારતીય નાગરિકતા આપવા માટે માન્યતા આપવામાં આવી છે?
Answer: 6

49. નીચેનામાંથી કયા આધાર પર ન્યાયાધીશને દૂર કરી શકાય છે?
Answer: ગાંડપણ

50. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (સુધારા) બિલ 2017 હેઠળ, કયા સ્થળે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ જાહેર કરવામાં આવ્યું છે?
Answer: કુર્નૂલ

51. નીચેનામાંથી કયો અનુચ્છેદ લઘુમતીઓના અધિકાર સાથે સંબંધિત છે?
Answer: અનુચ્છેદ 29

52. કયા બંધારણીય સુધારા દ્વારા મિલકતના અધિકારને મૂળભૂત અધિકારમાંથી નાબૂદ કરવામાં આવ્યો ?
Answer: 44મો બંધારણીય સુધારો

53. નીચેનામાંથી કયું ભારતીય સંસદનું ઉપલું ગૃહ કહેવાય છે?
Answer: રાજય સભા

54. ભારત સરકારનું કયું કમિશન નોકરીમાં અનામતના હેતુ માટે પછાત તરીકે સૂચિત સમુદાયોની સૂચિમાં સમાવેશ અને સૂચિમાંથી બાકાતને ધ્યાનમાં લે છે?
Answer: પછાત વર્ગ માટે રાષ્ટ્રીય આયોગ

55. આપત્તિ પ્રતિભાવમાં સમુદાય સ્વયંસેવકોની તાલીમ (આપદા મિત્ર) ની યોજના માટે સમગ્ર ભારતમાં કેટલા સૌથી વધુ પૂરની સંભાવના ધરાવતા જિલ્લાઓની ઓળખ કરવામાં આવી છે?
Answer: 30

56. પીવાના પાણીમાં વધુ પડતા ફ્લોરાઈડની આરોગ્ય પર શું અસર થાય છે?
Answer: ફ્લોરોસિસ

57. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના કેટલા જિલ્લાઓને સિંચાઈનો લાભ મળશે?
Answer: 11

58. GIFT City નું પૂરું નામ શું છે ?
Answer: ગુજરાત ઈંટરનેશનલ ફાઈનાંસ ટેક-સીટી

59. ભારતનો પ્રથમ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો હતો?
Answer: કાવેરી

60. રાષ્ટ્રીય ગોકુલ મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું?
Answer: ડિસેમ્બર, 2014

61. ચૂંટણી પંચ દ્વારા પંચાયતો માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે કયા આધારે અનામત બેઠકો નિયત કરવામાં આવી છે?
Answer: વસ્તીની સંખ્યા પ્રમાણે

62. ભારતમાં 'વિશ્વ વિરાસત દિવસ' ક્યારે ઉજવવામા આવે છે?
Answer: 18 એપ્રિલ

63. સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડનો એક ઉદ્દેશ્ય કયા શેષ પ્રોજેક્ટ માટે અનુદાન સ્ત્રોત પ્રદાન કરે છે?
Answer: એવા પ્રોજેક્ટ કે જેને અન્ય કોઈ માધ્યમ/મોડ દ્વારા ભંડોળ પૂરું પાડી શકાતું નથી

64. પ્રવાસન મંત્રાલયે હિન્દી અને અંગ્રેજી સહિત 12 ભાષાઓમાં ટોલ ફ્રી નંબર 1800111363/ શોર્ટ કોડ 1363 પર 24x7 ટોલ ફ્રી બહુભાષી પ્રવાસી માહિતી હેલ્પલાઇન ક્યારે શરૂ કરી?
Answer: ફેબ્રુઆરી 2016

65. PM-DevINE યોજનાના કેન્દ્રમાં ભારતના કયા પ્રદેશો છે ?
Answer: ઉત્તર-પૂર્વીય

66. કયા રોપ-વે ને ભારતનો સૌથી લાંબો 'નદી ઉપરનો રોપ-વે' માનવામાં આવે છે?
Answer: ગુવાહાટી પેસેન્જર રોપવે, આસામ

67. ભારતના વરિષ્ઠ નાગરિકોના સંદર્ભમાં SACRED નું પૂરૂ નામ શું છે?
Answer: સિનિયર એબલ સિટીઝન ફોર રી-એમ્પ્લોયમેંટ ઈન ડીગ્નિટી

68. પીએમ મિશન કર્મયોગીની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?
Answer: 2-સપ્ટેમ્બર-2020

69. વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓની રમતગમતની પ્રવૃત્તિઓમાં અસરકારક ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે વિકલાંગતા રમતગમત માટેનું કેન્દ્ર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે?
Answer: ગ્વાલિયર

70. ગ્રામ વિસ્તાર માટે પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ એસ.એસ.સી શિષ્યવૃત્તિ યોજનાનો અમલ કરતી કચેરી કઈ છે?
Answer: જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જિલ્લા પંચાયત

71. સંસ્કૃત ગુરુકુળોમાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે રૂપિયા 8 કરોડની ફાળવણી સરકારશ્રીની કઈ યોજના અંતર્ગત આપવાની જાહેરાત કરવામાં આવી છે?
Answer: સંસ્કૃત સાધના યોજના

72. જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ (District Level Sports School) યોજના હેઠળ પ્રત્યેક ખેલાડી દીઠ સરેરાશ વાર્ષિક કેટલા રૂપિયાનો ખર્ચ સરકારશ્રી તરફથી કર​વામાં આવે છે?
Answer: ૨.૨૫ લાખ રૂ.

73. 'નારી ગૌરવ નીતિ' કયા સરકારી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે ?
Answer: મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

74. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2022 માં 'નારી શક્તિ પુરસ્કાર' માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી છે?
Answer: 25 વર્ષ

75. શાનો બનેલો બોલ રબરના બોલ કરતા વધારે બાઉન્સ થશે ?
Answer: કાંચ - ગ્લાસ

76. કુદરતી રેડિયોએક્ટિવિટીની શોધ કોણે કરી?
Answer: હેનરી બેકવેરલ

77. પેટ્રોલિયમ આગ માટે કયા પ્રકારનાં અગ્નિશામક ઉપકરણનો ઉપયોગ થાય છે?
Answer: પાવડર પ્રકાર

78. ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો?
Answer: પોરબંદર

79. ભારતની છેલ્લી ધ્વજ સંહિતા ક્યારે અમલમાં આવી?
Answer: 2002

80. CSCનું પૂરુ નામ શું છે?
Answer: કોમન સર્વિસિસ સેન્ટર

81. ડિજીલોકરની સ્ટોરેજ સ્પેસ કેટલી છે ?
Answer: 1 GB

82. ગીર સોમનાથ જિલ્લાનું વડું મથક કયું છે ?
Answer: વેરાવળ

83. ખજૂરાહોનાં મંદિરો કયા રાજ્યમાં આવેલા છે ?
Answer: મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં

84. જાદુગુડાની ખાણો કઈ વસ્તુ માટે પ્રખ્યાત છે?
Answer: યુરેનિયમની ખાણો

85. ઇ.સ.1911 પહેલા ભારતની રાજધાની કઈ હતી?
Answer: કોલકતા

86. શ્વેતાંબર કયા ધર્મનો સંપ્રદાય છે?
Answer: જૈન

87. કીર્તિમંદિર કયા શહેરમાં આવેલું છે?
Answer: પોરબંદર

88. ભારતનો કયો પ્રદેશ ભારતનું 'ઠંડું રણ 'કહેવાય છે ?
Answer: લદાખ

89. નીચેનામાંથી કયો પ્રદેશ નક્કર ફ્લડ બેસાલ્ટના બહુવિધ સ્તરો ધરાવે છે?
Answer: ડેક્કન ટ્રેપ

90. માતૃભૂમિ યુવા શકિત કેન્દ્રમાં સભ્ય ફી કેટલા રૂપિયાથી વધારે રાખી શકાય નહીં ?
Answer: 5

91. એશિયા કપ કઈ રમતની લોકપ્રિય ટુર્નામેન્ટ છે?
Answer: ક્રિકેટ

92. 1928 માં એમ્સ્ટરડેમમાં પ્રથમ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક જીતનાર ભારતીય હોકી ટીમના કેપ્ટન કોણ હતા?
Answer: જયપાલ સિંહ

93. નીચેનામાંથી કયા વિટામિન યકૃતમાં સંગ્રહિત થાય છે?
Answer: બધા વિકલ્પો સાચા છે.

94. 'ખિતાબોની નાબૂદી' બંધારણના કયા ભાગમાં આવે છે ?
Answer: ભાગ-3

95. મલાર કલાકાર કઈ કલા માટે જાણીતા છે ?
Answer: મેટલ કાસ્ટિંગ

96. ડેટાબેઝનો ભાગ શું છે જે ફક્ત એક જ પ્રકારની માહિતી ધરાવે છે?
Answer: ફિલ્ડ

97. લસિકામાં કયું તત્ત્વ હોતું નથી?
Answer: લાલ રક્તકણો

98. વિશ્વ હીમોફીલિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
Answer: 17 એપ્રિલ

99. નીચેનામાંથી વર્ષ 2011 માં ભારત સરકાર દ્વારા સામાજિક કાર્ય ક્ષેત્રે ગુજરાતમાંથી કોને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો?
Answer: કનુભાઈ હસમુખભાઈ દરજી

100. વર્ષ 2014 પછી કયા ભારતીય વડાપ્રધાનને માલદીવનો પ્રતિષ્ઠિત સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'નિશાન ઇઝ્ઝુદ્દીન શાસન' એનાયત કરવામાં આવ્યું છે?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

101. વર્ષ 1972 માટે 20મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
Answer: પંકજ મલ્લિક

102. વિશ્વમાં મે મહિનાનો બીજો રવિવાર કયા દિવસ તરીકે ઉજવાય છે ?
Answer: વિશ્વ માતૃ દિવસ

103. 'આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 12 મે

104. આંતરરાષ્ટ્રીય ન્યાય માટે વિશ્વ દિવસ ક્યારે ઉજવાય છે ?
Answer: 17 જુલાઈ

105. અજંતા અને ઇલોરા જૂથની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે?
Answer: મહારાષ્ટ્ર

106. કવિ પ્રેમાનંદ મૂળ ક્યાંના વતની હતા?
Answer: વડોદરા

107. એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
Answer: નવી દિલ્હી

108. નીચેનામાંથી કઈ કૃતિ નરસિંહ મહેતાએ રચી છે ?
Answer: શામળશાનો વિવાહ

109. કઈ સંસ્થાએ “પ્રોફિટિંગ ફ્રોમ પેઈન” પર અહેવાલ બહાર પાડ્યો?
Answer: ઓક્સફેમ ઇન્ટરનેશનલ

110. ભારતીય નૌકાદળની સિંધુઘોષ-વર્ગની સબમરીન કઈ છે?
Answer: આઇએનએસ સિંધુવિજય

111. કબીર બીજક કોનો પ્રસિદ્ધ ગ્રંથ છે ?
Answer: સંત કબીર

112. તુલસીદાસનું 'રામચરિતમાનસ' કોના શાસનકાળ દરમિયાન લખાયું હતું?
Answer: અકબર

113. પ્રાચીન ભારતમાં મૈત્રક વંશની રાજધાની કઈ હતી ?
Answer: વલભી

114. 'જલ મહેલ' રાજસ્થાનના કયા જિલ્લામાં આવેલો છે?
Answer: જયપુર

115. રાજસ્થાનનું રાજ્ય ફૂલ કયું છે ?
Answer: રોહિડા

116. રાજસ્થાનનું રાજ્ય વૃક્ષ કયું છે?
Answer: ખીજડો

117. માનવશરીરમાં રક્તકણો (RBC) નું સરેરાશ આયુષ્ય કેટલું હોય છે ?
Answer: 120 દિવસ

118. કમ્પ્યુટર નેટવર્ક સાથે જોડાણમાં WLAN નું પૂર્ણ સ્વરૂપ શું છે?
Answer: વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક

119. કમ્પ્યુટર સચોટ છે, પરંતુ જો ગણતરીનું પરિણામ ખોટું છે, તો તેના માટે મુખ્ય કારણ શું છે?
Answer: ખોટો ડેટા પ્રવેશ

120. સ્પ્રેડશીટમાં ટેબ્યુલર માહિતીનું ડિફોલ્ટ ફાઇલ એક્સ્ટેંશન કયું છે?
Answer: .xls

121. કયું સ્થાપત્ય સ્તૂપ સાથે સંકળાયેલું છે?
Answer: બૌદ્ધ સ્થાપત્ય

122. ગુજરાતમાં 'હવામહેલ' ક્યાં આવેલો છે?
Answer: વઢવાણ

123. ઉમંગ (UMANG) એપ ભારત સરકાર દ્વારા ક્યારે લોન્ચ કરવામાં આવી હતી ?
Answer: નવેમ્બર, 2017

124. ગૂગલના સહ-સ્થાપકો કોણ છે ?
Answer: લૅરી પેજ અને સેરગેઈ બ્રિન

125. લક્ષ્મીવિલાસ પેલેસ ક્યાં આવેલો છે?
Answer: વડોદરા

126. ગુજરાત ગૌરવ અભિયાન અનુસાર ગુજરાતના પાંચ જિલ્લાઓના વિકાસ કાર્યો અર્થે કેટલા રૂપિયાની સહાય મળશે ?
Answer: 650 કરોડ રૂપિયા


COLLEGE LEVEL QUESTION ANSWER


1. સૂક્ષ્મ સિંચાઈપદ્ધતિમાં કયો જિલ્લો રાજ્યમાં દ્વિતીય આવેલ છે?
Answer: જૂનાગઢ

2. ર૦ મીટરથી ઓછી લંબાઇની માછીમારી માટેની યાંત્રિક હોડીઓ ધરાવનાર રાજ્યના ડીઝલ કાર્ડધારક માછીમારોને કઈ યોજનાનો લાભ મળવાપાત્ર છે?
Answer: માછીમારો માટે ડિઝલ વેટ રાહત યોજના

3. CMFRI દ્વારા સંશોધકો અને લોકોના શિક્ષણ માટે દરિયાઈ અને દરિયાકાંઠાના વાતાવરણમાં બનતી પ્રજાતિઓના સંગ્રહ, જાળવણી, સૂચિ અને પ્રદર્શન માટે કયું સંગ્રહાલય સ્થાપવામાં આવ્યું છે?
Answer: મરીન બાયોડાઈવરસીટી મ્યુઝીયમ

4. સેન્ટર ઓફ એકસલન્સની શી કામગીરી છે?
Answer: ઉચ્ચ શિક્ષણની શ્રેષ્ઠ સંસ્થાઓને પ્રોત્સાહિત કરવી

5. કાઉન્સિલ ઓફ ઈન્ડસ્ટ્રી એકેડેમિયા કોલેબોરેશન કોને જોડવાનું કામ કરે છે ?
Answer: શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો

6. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ હેઠળ કઈ યોજનામાં SEBCની ફક્ત વિદ્યાર્થિનીઓ "પોસ્ટ એસ.એસ.સી. સ્કોલરશિપ" મેળવવા માટે અરજી કરી શકે છે, જ્યાં વિદ્યાર્થિનીઓ માટે વાર્ષિક આવકમર્યાદા નથી?
Answer: બી.સી.કે.-78

7. વર્ષ 2022 મુજબ ભારતમાં કેટલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી(NIT) આવેલી છે?
Answer: 31

8. ગુજરાતના દરિયાકિનારે એલએનજી પ્રાપ્તિ અને પુનઃગેસિફિકેશન ક્ષમતાના વિકાસને પ્રોત્સાહન આપવાની કઈ નીતિ છે?
Answer: LNG ટર્મિનલ પોલિસી

9. 'દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના'કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી?
Answer: 2015

10. બોર્ડર એરિયા વિલેજને વિકસાવવા માટે કેન્દ્રીય નાણાં પ્રધાનના બજેટ 2022 માં કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે?
Answer: વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ

11. ગ્રામીણ વિસ્તાર માટે માનવ કલ્યાણ યોજના માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ?
Answer: ₹ 120000 સુધી

12. MIBORનું પૂરું નામ શું છે ?
Answer: મુંબઈ ઈન્ટર બેંક ઓફર રેટ

13. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત બીજી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
Answer: ₹ 5,75,000

14. તા 31/01/2022ની સ્થિતિએ ગુજરાત રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર હેઠળ (રાજ્ય તેમજ કોર્પોરેશન હસ્તક તમામ) કેટલી પ્રયોગશાળાઓ છે ?
Answer: 6

15. 'અશ્રુઘર' નવલકથાના લેખકનું નામ શું છે ?
Answer: રાવજી પટેલ

16. ચાંપાનેરની ઐતિહાસિક સાઇટ્સને યુનેસ્કોએ કયા નામે જાહેર કરી છે ?
Answer: વર્લ્ડ હેરિટેજ સાઇટ

17. ગુજરાતમાં કવાંટ મેળો કયાં ભરાય છે ?
Answer: છોટાઉદેપુર

18. રાણકી વાવ કઈ નદીના કિનારે આવેલી છે ?
Answer: સરસ્વતી નદી

19. ‘રાઇનો પર્વત’ના લેખક કોણ છે ?
Answer: રમણલાલ નીલકંઠ

20. ગુપ્ત સામ્રાજ્યનાં બાઘ ચિત્રો કયા ભારતીય રાજ્યમાંથી મળી આવ્યાં હતાં ?
Answer: મધ્યપ્રદેશ

21. ભારતીય અને ગ્રીક સુવિધાઓને જોડતી કલા શૈલીને શું કહેવામાં આવે છે ?
Answer: ગાંધાર

22. નિમ્નલિખિત ક્યા નેતા અમદાવાદ મ્યુનિસિપાલિટી ના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે?
Answer: સરદાર પટેલ

23. 67મો રાજ્ય કક્ષાનો વન મહોત્સવ ક્યારે ઉજવાયો હતો ?
Answer: 2016

24. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Echiura જોવા મળે છે ?
Answer: 43

25. ગુજરાતમાં આવેલ ગાગા વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
Answer: 3.33

26. ગુજરાત વન વિભાગના વર્ષ 2017ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે થોળના જળ પક્ષીઓ( Water Birds)ની સંખ્યા કેટલી છે ?
Answer: 61438

27. ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે ?
Answer: આરાસુરની ટેકરીઓ

28. કોવિડ મહામારી દરમિયાન કયા વેચાણકારોને જામીન મુકત લોન આપવામાં આવી ?
Answer: ફેરિયાઓને

29. કલાઈમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?
Answer: શૈક્ષણિક ક્ષેત્રે

30. કઈ યોજના માટે આદિવાસી ખેડૂતને રૂ.3.00 લાખના એકમ પરના કુલ ખર્ચના 90 ટકા અથવા રૂ.2.70 લાખ મળે છે ?
Answer: પ્લગ નર્સરી યોજના

31. ગુજરાતના ભૌગોલિક સંકેત (જીઆઇ ટેગ) હેઠળ નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?
Answer: પેથાપુર પ્રિન્ટિંગ બ્લોક્સ

32. ભારતમાં 'સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' ક્યાં આવેલી છે?
Answer: કોચી

33. 2020 માં કેટલી મહિલા પોલીસ અધિકારીઓને તપાસમાં ઉત્કૃષ્ટતા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાનના ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા છે?
Answer: 21

34. ગુજરાતમાં નિર્ભયા ફંડ યોજના હેઠળ ભારતના ગૃહ મંત્રાલય દ્વારા મંજૂર કરવામાં આવેલા 'સેફ સિટી પ્રોજેક્ટ્સ'માં કયા શહેરનો સમાવેશ થાય છે?
Answer: અમદાવાદ

35. ભારતના પૂર્વના છેડાથી પશ્ચિમના છેડા સુધીનું અંતર કેટલા કિલોમીટર છે ?
Answer: 2933

36. 'ગુજરાત વાહન અકસ્માત સહાય યોજના'નો પ્રાથમિક હેતુ શું છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

37. વિશ્વ વસ્તી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?
Answer: 11મી જુલાઈ

38. 'પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના’ (PMASBY) હેઠળ આવતા છ વર્ષમાં કયો લક્ષ્‍યાંક હાંસલ કરવામાં આવશે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

39. બી.એમ. ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થની સ્થાપના કોણે કરી હતી ?
Answer: કમલિની સારાભાઈ

40. નીચેની કઈ યોજના કાપડના સંયોજિત ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ અને પ્લેસમેન્ટ લક્ષી તાલીમ પ્રદાન કરવા માગે છે?
Answer: સમર્થ યોજના

41. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે?
Answer: કુંભારને PMEGP યોજના હેઠળ પોતાનું એકમ સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવા

42. ભારત સરકાર દ્વારા કેટલા ઔદ્યોગિક કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે?
Answer: 11

43. સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજનાનો મુખ્ય ફાયદો શો છે?
Answer: કોયર ઉદ્યોગના વિકાસ અંગે જાગૃતિ કાર્યક્રમો કરવા

44. નીચેનામાંથી કયું બિન ધાતુ મિનરલ છે?
Answer: ડોલોમાઇટ

45. પ્રધાનમંત્રી દ્વારા અમલમાં આવેલી અટલ પેન્શન યોજના અંતર્ગત લાભાર્થી કેટલા વર્ષ સુધી લધુતમ યોગદાન કરી શકે છે ?
Answer: 20 વર્ષ કે તેથી વધુ

46. ગુજરાત સરકાર દ્વારા 'વ્યાવસાયિક રોગોને કારણે થતી બીમારીઓમાં સહાય યોજના' હેઠળ બાંધકામ શ્રમિકનાં 90-100 ટકા અશક્તતાનાં કિસ્સામાં, લાભાર્થીને દર મહિને મહત્તમ કેટલી નાણાકીય સહાય મળવાપાત્ર છે ?
Answer: રૂ. 3000/-

47. ગુજરાત સરકાર દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ મિશન અંતર્ગત યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવા માટે કેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે ?
Answer: રૂ.150 કરોડ

48. ભારત સરકારના NCS પોર્ટલમાં અત્યાર સુધી કેટલા મૉડલ કેરિયેર કેન્દ્રની ભારતભરમાં મંજૂરી આપવામાં આવી છે?
Answer: 200થી વધારે

49. લોકસભા સ્થગિત કરવાની સત્તા કોની પાસે છે?
Answer: રાષ્ટ્રપતિ

50. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષનો કાર્યકાળ કેટલો હોય છે?
Answer: 3 વર્ષ

51. સામાન્ય લોકો માટે 'કોર્ટમાં પ્રવેશ' નો અર્થ શું થાય છે?
Answer: ન્યાયની પહોંચ

52. કાયદા સુધારણા અંગે ભલામણ કયા પંચને કરવામાં આવે છે?
Answer: કાયદા પંચ

53. તાજેતરમાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની શપથવિધિ કોણે કરાવી છે?
Answer: એન વી રામના

54. નીચેના પૈકી કઈ આવક કરવેરા સિવાયની આવક છે?
Answer: પોસ્ટલ સર્વિસીસ જેવા જાહેર સાહસોમાંથી ડિવિડન્ડ

55. ચલણના અવમૂલ્યનનો અર્થ શું થાય છે?
Answer: સ્થાનિક ચલણના બાહ્ય મૂલ્યમાં ઘટાડો

56. કડાણા ડેમના પૂરનાં પાણીને ગુજરાતની 21 નદીઓને રિચાર્જ કરવા માટે કઈ સ્પ્રેડિંગ ચેનલનું કામ ચાલુ છે ?
Answer: સુજલામ-સુફલામ

57. 'સ્વજલધારા કાર્યક્રમ'નું અમલીકરણ કેવી રીતે કરવામાં આવે છે?
Answer: લોકભાગીદારી અને પાણી સમિતિ દ્વારા

58. ભારત સરકારના જલ જીવન મિશન હેઠળ સ્થાપિત જળ પરીક્ષણ પ્રયોગશાળાઓ પાણીના પરીક્ષણ અને ગુણવત્તાના ધોરણો માટે કઈ એજન્સીનું પાલન કરે છે?
Answer: નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ

59. નીચેનામાંથી કયું શહેર ઘેલો નદીના કિનારે આવેલ નથી ?
Answer: સુલતાનપુર

60. કઈ યોજનાનો ઉદ્દેશ્ય પંચાયતી રાજ સંસ્થાઓ (PRIs) ના ચૂંટાયેલા પ્રતિનિધિઓની તાલીમ અને ક્ષમતા નિર્માણ કરવાનો છે?
Answer: રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન

61. પંચાયતીરાજ માટે સરળ કાર્ય આધારિત એકાઉન્ટિંગ પોર્ટલનું નામ શું છે?
Answer: ઈ-ગ્રામ સ્વરાજ

62. ગુજરાતની 'પંચવટી યોજના' માટે ગ્રામ પંચાયતને કેટલી ગ્રાન્ટ મળવાપાત્ર છે?
Answer: 1 લાખ

63. પ્રથમ મેરીટાઈમ ઈન્ડિયા સમિટ ભારતના કયા શહેરમાં યોજાઈ હતી?
Answer: મુમ્બઇ

64. GSRTC બસ સેવાઓના પાસ માટે અરજી કરવા માટેની વેબસાઇટ કઇ છે?
Answer: www.gsrtc.in

65. ભારતમાં 2 લેન નેશનલ હાઈવેની પહોળાઈ કેટલી છે?
Answer: 30 મીટર

66. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ?
Answer: સાપુતારા

67. વર્ષ 2017-18 માટે ગુજરાતમાં 'મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના' હેઠળ કેટલું કામ પૂર્ણ થયું હતું ?
Answer: 3792 કિ.મી.

68. રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સલામત અને અડચણ વિનાની મુસાફરી માટે પુલ બનાવવા કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ?
Answer: સેતુ ભારતમ્

69. વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ ક્યાં સ્થાપિત થવા જઈ રહ્યું છે ?
Answer: ભાવનગર

70. SFCAC યોજના હેઠળ પાલક માતાપિતા માટે રૂ. 3000 ફાળવવા માટે કોણ જવાબદાર છે?
Answer: જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી

71. કોના આદેશથી ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા બાળકોને સલામતીના સ્થળે રાખી શકાય છે?
Answer: જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ

72. વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી મિશન સાગર યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: કોવિડ -19 રાહત મિશન

73. વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી યોજના 'ધ્રુવ' નો ઉદ્દેશ શો છે?
Answer: હોશિયાર બાળકના કૌશલ્ય અને જ્ઞાનને સમૃદ્ધ બનાવવા માટે

74. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનું અમલીકરણ કયા દિવસે કરવામાં આવ્યું ?
Answer: વર્લ્ડ યુથ સ્કીલ ડે

75. સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિકસતી જાતિના કુમાર વિદ્યાર્થીઓ માટે વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે?
Answer: 6,00,000

76. ફેલોશિપ સ્કીમ, ગુજરાત હેઠળ ગ્રેજ્યુએશન લેવલનાં વિદ્યાર્થીને દર મહિને કેટલી સહાય મળવાપાત્ર છે?
Answer: 3000 રૂપિયા

77. નેશનલ સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ સ્કીમની વયમર્યાદા કેટલી છે?
Answer: 8 થી 12 વર્ષ

78. ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ માટે કાર્યરત શક્તિદૂત યોજના સરકારશ્રી દ્વારા કયા વર્ષથી અમલમાં મુકવામાં આવી?
Answer: 2006

79. એન.સી.ડબ્લ્યુ. નું પૂરું નામ શું છે ?
Answer: નેશનલ કમિશન ફોર વુમન

80. જોખમી અને ભૌગોલિક અંતરિયાળ વિસ્તારમાં કઇ યોજના દ્વારા રસીકરણનું આયોજન કરવામાં આવે છે ?
Answer: મિશન ઇન્દ્રધનુષ યોજના

81. 'કન્યાઓને વિના મૂલ્યે શિક્ષણ' અન્વયે વાર્ષિક કેટલી ફી ભરપાઈ કરવામાં આવે છે ?
Answer: રૂ. 600

82. જયપુર શહેરની સ્થાપના કોણે કરી હતી ?
Answer: મહારાજા સવાઈ જયસિંહ

83. કડાણા યોજના કઈ નદી પર છે ?
Answer: મહી

84. તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ત્રિપુરા અને બાંગ્લાદેશ વચ્ચેના મૈત્રી સેતુનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ સેતુ કઈ નદી પર નિર્માણ પામ્યો છે?
Answer: ફેની નદી

85. કારાકોરમ પર્વતમાળાની હિમનદીઓ નીચેનામાંથી કયા યુગની છે?
Answer: પ્લેઈસ્ટોસીન

86. શિવસમુદ્રમ ફોલ નીચેનામાંથી કઈ નદીના વહેણમાં જોવા મળે છે?
Answer: કાવેરી

87. બીચ વોલીબોલ માં, દરેક બાજુ કેટલા ખેલાડીઓ હોય છે?
Answer: 2

88. સુપ્રસિદ્ધ “મુહમ્મદ અલી” દ્વારા કઈ રમત કરવામાં આવે છે?
Answer: બોક્સિંગ

89. નીચેનામાંથી કયો રોગ પ્રોટીનની ઉણપને કારણે થાય છે?
Answer: કેવાશિઓર્કર

90. લોકસભાનું વિસર્જન કોની સલાહથી થાય છે ?
Answer: વડાપ્રધાન

91. પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓના 'નાગરિકતા હક' બંધારણની કઈ કલમમાં આવે છે ?
Answer: કલમ-6

92. ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું તખ્ખલુસ કયું છે ?
Answer: સુંદરમ

93. માનવ શરીરના ચેતાતંત્રનો મૂળભૂત એકમ શું છે?
Answer: ન્યુરોન

94. બેટરીમાં કયા પ્રકારની ઊર્જાનો સંગ્રહ થાય છે?
Answer: કેમિકલ

95. ભારતરત્ન અને નોબેલ પુરસ્કારથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય કોણ હતા ?
Answer: સર સી. વી. રમન

96. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
Answer: શ્રી તરુણ ગોગોઇ

97. 30 મી જાન્યુઆરીને ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
Answer: શહીદ દિવસ

98. 'રાષ્ટ્રીય સંરક્ષણ દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 3 માર્ચ

99. સમગ્ર વિશ્વમાં 'વિશ્વ ડુગોંગ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 28, મે

100. તાજેતરમાં આંધ્રપ્રદેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્વાતંત્ર્ય સેનાનીની 30 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું?
Answer: અલ્લુરી સીતારામ રાજુ

101. 'બાળગરબાવળી' કાવ્યસંગ્રહ કયા કવિએ લખ્યો છે ?
Answer: નવલરામ

102. એલ.સી.એ તેજસની પ્રથમ ઉડાન ક્યારે હાથ ધરવામાં આવી હતી?
Answer: 4 જાન્યુઆરી 2001

103. ભારતીય વાયુસેના માટે કેટલા એલ.સી.એ તેજસ બનાવવામાં આવશે?
Answer: 123

104. જેસલના મનમાંથી મૃત્યુનો ભય દૂર કરી હ્રદય પલટો કરાવનાર સતિનું નામ શું છે?
Answer: સતિ તોરલ

105. પિંક સિટી તરીકે કયુ શહેર જાણીતું છે?
Answer: જયપુર

106. હવામહેલ કયા શહેરમાં આવેલો છે?
Answer: જયપુર

107. કુંચીકલ ધોધની ઊંચાઈ કેટલી છે?
Answer: 1493 ફૂટ

108. મહારાષ્ટ્રના કયા જિલ્લામાં ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
Answer: પુણે

109. ભારતના 'મિસાઇલ મેન' તરીકે કોણ ઓળખાય છે?
Answer: ડૉ.એપીજે અબ્દુલ કલામ

110. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સેન્ટર ફોર બ્રેઈન રિસર્ચ (CBR)નું ઉદ્ઘાટન કર્યું?
Answer: કર્ણાટક

111. આર્ટિસ્ટ 'બેન્કસી' મૂળ કયા બ્રિટીશ શહેર સાથે સંકળાયેલ છે?
Answer: બ્રિસ્ટોલ

112. ડૉક્યુમેન્ટ બનાવવા માટે ફાઇલ મેનૂ પર કયો આદેશ જરૂરી છે?
Answer: New

113. નીચેનામાંથી કયું વપરાશકર્તાને એકસાથે અનેક સર્ચ એન્જિનો પર શોધવાની મંજૂરી આપે છે?
Answer: મેટા સર્ચ એન્જિન

114. ગુજરાતમાં ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વ ઉદ્યાન ક્યા જિલ્લામાં આવેલું છે?
Answer: પંચમહાલ

115. કચ્છનાં ઈતિહાસમાં કઈ ગુફાઓનો ઉલ્લેખ 'ખાપરા કોડિયા'ની ગુફાઓ તરીકે થયો છે?
Answer: શૈલ ગુફા

116. હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિને શું કહેવાય છે ?
Answer: હાયપરટેન્શન

117. ત્રણેય ગોળમેજી પરિષદો સમયે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા?
Answer: જેમ્સ રામસે મેકડોનાલ્ડ

118. ફિલેરીઆસિસ રોગને એલિફન્ટિઆસિસ તરીકે પણ શા માટે ઓળખવામાં આવે છે?
Answer: વધુ પડતા પગ પહોળા થવાને કારણે

119. કલર, રબર, કાપડમાં કયા ખનિજનો ઉપયોગ થાય છે?
Answer: બેરીટ્સ

120. કવિ હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું ?
Answer: ચાંગદેવ

121. વૈશાલી ખાતે વિશ્વના પ્રથમ ગણતંત્રની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?
Answer: લિચ્છવી

122. મહાવીરના પ્રથમ શિષ્યનું નામ શું છે ?
Answer: જમાલી

123. બાકસના ઉત્પાદનમાં કયા તત્ત્વનો ઉપયોગ થાય છે?
Answer: ફોસ્ફરસ

124. સ્વામી વિવેકાનંદ દ્વારા રામકૃષ્ણ મિશન ની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી?
Answer: 1 મે, 1897

125. સંત બોડાણા નો જન્મ ક્યાં થયો હતો?
Answer: ડાકોર

126 .ભારત સરકાર દ્વારા ચાલતા જળ જીવન મિશન અંતર્ગત 2024 સુધીમાં અંદાજિત કેટલા ઘરો સુધી નળ દ્વારા પાણી પહોચાડવામાં આવશે?
Answer:  14.5 કરોડ ઘરો સુધી

.ભારત સરકાર દ્વારા દરેક ઘરે નળ દ્વારા પાણી પહોચાડવા જળ જીવન મિશનની શરૂઆત કયારે કરવામાં આવી ?
Answer: 15 ઓગસ્ટ 2019

Comments