1. કિસાન કોલ સેન્ટર ટોલફ્રી નંબર કયો છે ?
Answer: 1551
2. ખેતીમાં ખેતરના યાંત્રિકરણ(ફાર્મ મિકેનાઇઝેશન)ના ફાયદા શું છે?
Answer: ખેતીના કામો ઝડપથી પૂર્ણ કરી શકાય છે અને શ્રમ ઘટાડી શકાય છે
3. નબળા અને વંચિત જૂથોના બાળકો માટે શિક્ષણ અધિકાર અધિનિયમ-2009ની કલમ 12 (1) (c) હેઠળ ગ્રેડ-1માં પ્રવેશની કેટલી ટકાવારી નક્કી કરવામાં આવી છે?
Answer: 25 ટકા
4. રક્ષાશક્તિ યુનિવર્સિટી ગુજરાતમાં ક્યાં આવેલી છે ?
Answer: ગાંધીનગર
5. ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત 'ગુજરાત માર્ચિંગ અહેડ' મેગેઝિનના મુખ્ય સંપાદક કોણ છે?
Answer: શ્રીમતી અવંતિકા સિંહ
6. રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશનનું લક્ષ્ય શું છે?
Answer: સરકારને તેના આબોહવા બાબતના લક્ષ્યોને પહોંચી વળવા અને ભારતને ગ્રીન હાઇડ્રોજન હબ બનાવવામાં સહાય કરવા માટે.
7. વીજ ક્ષેત્રની રાજ્ય સરકારની કઈ યોજના કેન્દ્ર સરકાર દ્વારા આખા દેશમાં અમલી બની છે ?
Answer: જ્યોતિગ્રામ યોજના
8. PFMS કયા પ્રકારનું સોફ્ટવેર છે ?
Answer: વેબ આધારિત સોફ્ટવેર
9. નીચેનામાંથી કોને બેન્કરનો ચેક કહે છે?
Answer: ડિમાન્ડ ડ્રાફ્ટ (DD)
10. જિલ્લામાં આવેલ કેરોસીન એજન્ટોએ દુકાનદાર/રીટેલર/ફેરીદારને ૫હોંચાડેલ કેરોસીનની વિગતો ક્યાં દર્શાવવામાં આવે છે ?
Answer: નિયામકશ્રી, અન્ન અને નાગરિક પુરવઠાની વેબસાઈટ પર
11. ગુજરાતી સાહિત્યના પ્રથમ પ્રકૃતિ કાવ્યનું શીર્ષક શું છે ?
Answer: બાપાની પીંપર
12. શામળાજી વિસ્તારમાં વસતા આદિવાસીઓ શ્રીકૃષ્ણને કયા હુલામણા નામથી બોલાવે છે ?
Answer: કાળિયાદેવ
13. કયા કરાર દ્વારા ગુજરાતમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ હતી ?
Answer: વોકર કરાર
14. મહાત્મા દાદુ દયાળનો જન્મ કયાં થયો હતો ?
Answer: અમદાવાદ
15. સૌરાષ્ટ્રની તળપદી લોકશૈલીના ચિત્રો માટે કયા કલાકાર જાણીતા છે ?
Answer: બળવંત જોશી
16. ઈંગ્લૅન્ડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા?
Answer: મહીપતરામ નીલકંઠ
17. વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર ‘પોસ્ટ ઑફિસ’ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે ?
Answer: ધૂમકેતુ
18. મોરાયો બનાસકાંઠાના કયા તાલુકાનું નૃત્ય છે ?
Answer: વાવ
19. શ્રવણનું મૃત્યુ કોના દ્વારા થયું હતું ?
Answer: રાજા દશરથ
20. ગૌતમ બુદ્ધનો જન્મ કયા નગરમાં થયો હતો ?
Answer: કપિલવસ્તુ
21. પોંગલ કયા રાજ્યમાં ઉજવાતો તહેવાર છે ?
Answer: તમિલનાડુ
22. 'સુશ્રૂતસંહિતા' ગ્રંથ કોણે લખ્યો છે?
Answer: સુશ્રૂત
23. નોબલ પારિતોષિક પ્રાપ્ત કરનારા પ્રથમ ભારતીય કોણ છે?
Answer: રવીન્દ્રનાથ ટાગોર
24. ગુજરાત કોલેજના પ્રાંગણમાં કયા વિદ્યાર્થીનેતા શહીદ થયા હતા?
Answer: વિનોદ કિનારીવાળા
25. શોરિયા રોબસ્ટા (શાલ ) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
Answer: શ્રી મહાવીર સ્વામી
26. ભારતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની અનાવૃત ધારી જોવા મળે છે ?
Answer: 64
27. વન્ય પશુ દ્વારા મનુષ્યનું મૃત્યુ થાય તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
Answer: 500000
28. ગુજરાતમાં આવેલ રામપરા વન્યજીવ અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
Answer: ઈ.સ. 1988
29. પશ્વિમ બંગાળનું રાજ્ય પ્રાણી કયું છે ?
Answer: માછીમાર બિલાડી
30. વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-૩ કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે ?
Answer: વન મહોત્સવ દમ્યાન રોપ વિતરણ યોજના
31. હ્યુમન રિલેશન સ્કૂલનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો?
Answer: એલ્ટન માયો
32. દેશના કયા રાજ્યમાં પ્રથમ બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સ્થાપના થઈ છે ?
Answer: ગુજરાત
33. દરેક વ્યક્તિ સુધી પોતાના કાર્યક્રમોનું પ્રસારણ પહોંચે તે માટે કયા રાષ્ટ્રીય પ્રસાર માધ્યમે 'મોબાઈલ એપ' વિકસાવી છે ?
Answer: આકાશવાણી
34. ગુજરાત સરકાર દ્વારા વર્ષ -2019 નો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને મળ્યો હતો ?
Answer: કુ . આરોહી પટેલ
35. કયા વૈજ્ઞાનિકને ભારતની હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે?
Answer: એમ.એસ. સ્વામીનાથન
36. ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક કાર કઈ છે?
Answer: રેવા
37. ગુજરાતમાં બી. એસ. એફ. નું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે?
Answer: ગાંધીનગર
38. નીચેનામાંથી કઈ પર્વતમાળાઓ પૂર્વીય અને પશ્ચિમ ઘાટને જોડે છે?
Answer: નીલગીરી
39. ગુજરાતમાં સૈનિક શાળા ક્યાં આવેલી છે?
Answer: બાલાચડી
40. કોવિડ -19 રોગચાળા માટે ભારતમાં કઈ રસી આપવામાં આવે છે?
Answer: કોવિશીલ્ડ
41. ભારતે '200 કરોડ' કોવિડ -19 રસીકરણનું મુખ્ય સીમાચિહ્ન ક્યારે પ્રાપ્ત કર્યું?
Answer: 17 જુલાઇ, 2022
42. નીચેનામાંથી કઈ યોજના 18 થી 50 વર્ષની વય જૂથના હેન્ડલૂમ વણકરો/કામદારોને મૃત્યુ માટે જીવન વીમા કવચ આપે છે?
Answer: પ્રધાન મંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY)
43. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત, કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે?
Answer: પોસ્ટર, હોર્ડિંગ્સ વગેરે જેવી તમામ IEC સામગ્રી ધરાવતી કોમ્યુનિકેશન કીટનો વિકાસ કરવો
44. એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે ?
Answer: લાંબા
45. સ્ટાર્ટઅપ ઈન્ડિયા હેઠળની પહેલ, નીચેનામાંથી કયા સરકારી વિભાગ/મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે?
Answer: માનવ સંસાધન વિકાસ મંત્રાલય (MHRD)
46. ગુજરાત સરકાર દ્વારા ' શિક્ષણ સહાય યોજના' હેઠળ અનુસ્નાતક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
Answer: રુ. 15000/-
47. ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ 'શ્રમયોગી કલ્યાણ મેળો-2014' મુખ્યત્વે કોના માટે કેન્દ્રિત હતો ?
Answer: અસંગઠિત કામદારો
48. ભારતમાં દ્વિગૃહ ધારાસભા ધરાવતા રાજ્યોની કુલ સંખ્યા છે?
Answer: 6
49. ભારતની સર્વોચ્ચ અદાલતના અધિકારક્ષેત્રને કોણ વધારી શકે છે?
Answer: કાયદા દ્વારા સંસદ
50. લોકસભાના સભ્યો કેવી રીતે ચૂંટાય છે ?
Answer: લોકોના પ્રતિનિધિત્વ દ્વારા
51. ન્યાયિક સમીક્ષાની સિસ્ટમ કયાં જોવા મળે છે?
Answer: ભારત અને યુએસએ બંનેમાં
52. કયું વિધેયક બાકી ટેક્સ વિવાદોના નિરાકરણ માટે એક પદ્ધતિ પ્રદાન કરે છે?
Answer: ડાયરેક્ટ ટેક્સ વિવાદ સે વિશ્વાસ અધિનિયમ.
53. ગુજરાતમાં કેટલી મ્યુનિસિપલ કોર્પોરેશન છે?
Answer: 8
54. ઘટતી જતી પંચાયતી રાજ વ્યવસ્થાને પુન:ર્જીવિત કરવા અને મજબૂત કરવા માટે ભારત સરકાર દ્વારા કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી?
Answer: અશોક મહેતા સમિતિ
55. આપત્તિ પ્રતિભાવમાં સમુદાય સ્વયંસેવકોની તાલીમ (આપદા મિત્ર) ની યોજના માટે ગુજરાતમાંથી કેટલા સૌથી વધુ પૂરની સંભાવના ધરાવતા જિલ્લાની ઓળખ કરવામાં આવી છે?
Answer: 1
56. ગુજરાતનું કયું બોર્ડ રાજ્યવ્યાપી ડ્રિંકિંગ વોટર ગ્રીડ દ્વારા લોકોને નર્મદા નહેરનું પાણી પૂરું પાડવાનું કાર્ય કરી રહ્યું છે?
Answer: ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB)
57. ભારત સરકારના હર ઘર જલ કાર્યક્રમ હેઠળ ગુજરાતમાં કેટલા ટકા શાળાઓને નળના પાણીની સુવિધા આપવામાં આવી છે?
Answer: 100 ટકા
58. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ કયા શહેરમાં રેલ્વે શરૂ કરવામાં આવી?
Answer: ભાવનગર
59. GUDM નું પૂરું નામ શું છે?
Answer: ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન
60. કઈ યોજના હેઠળ જમીન ધરાવતા તમામ ખેડૂત પરિવારોને વાર્ષિક 6,000/- ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે?
Answer: પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ
61. બંધારણનો કયો ભાગ પંચાયતી રાજ વ્યવસ્થાનું વર્ણન કરે છે?
Answer: ભાગ IX
62. એશિયાટીક સિંહના સંરક્ષણની સાવચેતી રૂપે, વન વિભાગે બે સિંહ અને સિંહણને કયા અભયારણ્યમાં ખસેડ્યા છે?
Answer: બરડા
63. ભારતમાં અમરનાથ યાત્રા ક્યા સ્થળેથી શરુ થાય છે?
Answer: પહેલગામ
64. ધ ઈનક્રેડિબલ ઈન્ડિયા ટૂરિસ્ટ ફેસિલિટર સર્ટિફિકેટ એક અનોખું ID હશે જેની સાથે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા કયું બેજ જારી કરવામાં આવશે?
Answer: અતુલ્ય ભારત બેજ- 1 (બેઝિક) અને બેજ - 2 (એડવાન્સ્ડ)
65. 'અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ' ના પ્રથમ તબક્કામાં ઉત્તર-દક્ષિણ કોરિડોરમાં કેટલા સ્ટેશન હશે?
Answer: 15
66. ગોમતી ચૌરાહા - ઉદયપુર સેક્શનને ચાર માર્ગીય બનાવવાના પ્રોજેક્ટમાં માર્ગની લંબાઈ કેટલી છે?
Answer: 79.31 કિ.મી.
67. કેન્દ્ર સરકારની કઈ યોજના અનુસુચિત જાતિના બહુમતીવાળા ગામોના એકીકૃત વિકાસ પર કેન્દ્રિત છે?
Answer: પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના
68. ગ્રામીણ ભારતમાં સંપત્તિ માલિકોને સશક્ત બનાવવા માટે SVAMITVA યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી?
Answer: 24 એપ્રિલ, 2020
69. ALMICO દ્વારા દૃષ્ટિહીન વ્યક્તિઓ માટે શું વિકસાવવામાં આવ્યું છે?
Answer: સુગમ્ય કેન
70. શહેરી વિસ્તાર માટે પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ એસ.એસ.સી. યોજનાનો અમલ કરતી કચેરી કઈ છે?
Answer: જિલ્લા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી
71. ભારત દેશના યુવાનો સ્પેસ રિફોર્મ ક્ષેત્રે આગળ વધે તે માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યુ સેન્ટર સ્થાપિત કરવાની જાહેરાત કરી?
Answer: ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર
72. દૂધ સંજીવની યોજનાના લાભાર્થીઓ કોણ છે?
Answer: અનુસૂચિત જનજાતિના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ
73. 'આજીવિકા યોજના' અંતર્ગત રોજગારી મળી શકે તેવા કૌશલ્યવર્ધક તાલીમ કોર્સ પૂર્ણ કર્યા બાદ N.C.V દ્વારા શું આપવામાં આવે છે ?
Answer: સરકાર માન્ય સર્ટીફીકેટ
74. ધોરણ-8 સુધીની આદિજાતિ કન્યાઓની શાળામાં હાજરીમાં વધારો કરવા આદિજાતિ વિસ્તારમાં કન્યાઓના વાલીઓને કઇ યોજના અંતર્ગત અનાજ આપવામાં આવે છે ?
Answer: અન્ન ત્રિવેણી યોજના
75. દરિયાના પાણીમાં સરેરાશ ખારાશ કેટલી હોય છે ?
Answer: 35 ppt
76. કઈ ઉર્જા સૂર્યમાંથી મેળવી શકાતી નથી?
Answer: ન્યુક્લિયર ઊર્જા
77. નીચેનામાંથી કયું હાડકાંનું કાર્ય નથી?
Answer: રક્ત અને હાડકાંમાં કેલ્શિયમ નિયમન માટે હોર્મોન્સનું સ્ત્રાવ
78. દાંડીકૂચમાં જોડાતાં લોકો ખાદી પહેરતાં હોવાથી આ સરઘસને કઈ રીતે ઓળખવામાં આવતું હતું ?
Answer: સફેદ વહેતી નદી
79. ઓલ ઈન્ડિયા સ્પિનર્સ એસોસિએશનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી?
Answer: 1925
80. આધાર સીડીંગનો અર્થ શું છે?
Answer: બેંક ખાતા સાથે આધાર જોડવું
81. NPCI મુજબ ગ્રાહક દીઠ, ટર્મિનલ દીઠ, આધાર પર આધારિત એક દિવસના રોકડ ઉપાડના વ્યવહારોની મહત્તમ મર્યાદા કેટલી છે ?
Answer: પાંચ
82. ગુજરાતમાં આવેલું લોથલ કઈ સંસ્કૃતિનું કેન્દ્ર છે ?
Answer: હડપ્પીય
83. નર્મદા નદીનું ઉદગમ સ્થાન કયું છે ?
Answer: અમરકંટક
84. નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે?
Answer: મહેસાણા
85. સત્યાગ્રહ આશ્રમ ક્યાં આવેલો છે?
Answer: અમદાવાદ
86. બેલૂર મઠ કયા શહેરમાં આવેલો છે?
Answer: કોલકતા
87. સેવાગ્રામ આશ્રમના સ્થાપકનું નામ જણાવો.
Answer: ગાંધીજી
88. ભારતમાં આવેલ સૌથી મોટી ભૂશિરનું નામ જણાવો.
Answer: કન્યાકુમારી
89. કોના દ્વારા વનબંધુ કલ્યાણ યોજના (VKY) સૌપ્રથમ ગુજરાતમાં શરૂ કરવામાં આવી હતી?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી
90. શિખર આરોહણ યોજના અન્વયે કઈ જગ્યા એ આરોહણ કરવવામાં આવે છે ?
Answer: હિમાલય
91. નીચેનામાંથી કયા શહેરમાં 1983 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ યોજાઈ હતી?
Answer: લંડન
92. મુથૈયા મુરલીધરન કયા દેશના પ્રખ્યાત ક્રિકેટર છે?
Answer: શ્રીલંકા
93. પેશન ફ્રૂટ કયા ખનીજથી ભરપૂર હોય છે?
Answer: ફોસ્ફરસ
94. 'કાયદા સમક્ષ સમાનતાનો હક' બંધારણના કયા ભાગમાં આવે છે ?
Answer: ભાગ-3
95. પ્રખ્યાત કૃતિ 'ક્રિટિક ઓફ જજમેન્ટ'ના લેખક છે ?
Answer: ઇમેન્યુઅલ કાન્ટ
96. ઓટોહાન કઈ શોધ સાથે સંબંધિત છે?
Answer: ન્યુક્લિયર વિચ્છેદન
97. ઇલેક્ટ્રિક જનરેટરની શોધ કોણે કરી?
Answer: માઇકલ ફેરાડે
98. નીચેનામાંથી કઈ પ્રજાતિ દાંતવાળી વ્હેલમાં સૌથી મોટી છે?
Answer: સ્પર્મ વ્હેલ
99. વર્ષ 2008માં શ્રી લક્ષ્મી મિત્તલને કયા ક્ષેત્ર માટે પદ્મ વિભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા?
Answer: વેપાર અને ઉદ્યોગ
100. વર્ષ ૨૦૨૨ માટે 'સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર' ની સંસ્થાકીય કેટેગરી હેઠળની સંસ્થાને કેટલો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે?
Answer: રૂ. 51 લાખ
101. વર્ષ 1989 માટે 37મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
Answer: લતા મંગેશકર
102. 'વિશ્વ પરિવાર દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 15 મે
103. 'વિશ્વ શૌચાલય દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 19 નવેમ્બર
104. 'વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 21 જૂન
105. ચકોર તરીકે વધુ જાણીતા શ્રી બંસીલાલ વર્મા કોણ હતા?
Answer: કાર્ટૂનિસ્ટ
106. ભારત સરકારે કઈ તારીખથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે?
Answer: 1 જુલાઈ, 2022
107. ભીંડવાસ પક્ષી અભયારણ્ય (બીબીએસ) કયા રાજ્યમાં આવેલું છે?
Answer: હરિયાણા
108. કવિ પદ્મનાભે વીરરસનું કયું ઐતિહાસિક કાવ્ય રચ્યું છે ?
Answer: કાન્હડદે પ્રબંધ
109. પૃથ્વી-1 કયા પ્રકારની મિસાઈલ છે?
Answer: બેલિસ્ટિક મિસાઇલ
110. ભારતીય નૌકાદળની સિંધુઘોષ-વર્ગની સબમરીન કઈ છે?
Answer: આઇએનએસ સિંધુધ્વજ
111. કર્ણ કોનો પુત્ર હતો?
Answer: સૂર્યપુત્ર
112. મેગેસ્થનિસ ક્યા દેશના રાજદૂત હતા ?
Answer: ગ્રીસ
113. સ્વસ્તિકના ચિન્હનો સ્ત્રોત કઈ સંસ્કૃતિમાં મળે છે?
Answer: સિંધુ ખીણ
114. જિમ કોર્બેટ નેશનલ પાર્ક ભારતના કયા રાજ્યમાં આવેલો છે?
Answer: ઉત્તરાખંડ
115. તમિલનાડુનું રાજ્ય ફૂલ કયુ છે?
Answer: વછોનાગ (ગ્લોરીઓસા સુપર્બા)
116. મુંડક ઉપનિષદ કયા વેદનું છે?
Answer: અથર્વવેદ
117. પ્રોટીન શેના બનેલા હોય છે?
Answer: એમિનો એસિડ
118. સ્પ્રેડશીટમાં લોઅર કેસ અક્ષરોને અપર કેસમાં રૂપાંતરિત કરવા માટે કયા ફંક્શનનો ઉપયોગ થાય છે?
Answer: UPPER()
119. કોમ્પ્યુટરના સંબંધમાં CMOS નું પૂર્ણ સ્વરૂપ શું છે?
Answer: કમ્પલિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર
120. કયા પ્રકારની પ્રક્રિયા ફાઈલની સાઇઝ ઘટાડે છે જે ઈન્ટરનેટ પર ટ્રાન્સફર કરવા માટે ઝડપી છે?
Answer: કમ્પ્રેશન
121. એક જ રાતમાં નિર્માણ પામેલું 'છાબ તળાવ' ગુજરાતમાં ક્યાં આવેલું છે?
Answer: દાહોદ
122. શ્રી પદ્મનાભસ્વામી મંદિરની સ્થાપત્ય શૈલી કઈ છે?
Answer: ચેરા શૈલી અને દ્રવિડિયન શૈલીનું મિશ્રણ
123. કયો અણુ પુનરાવર્તિત રાસાયણિક એકમોથી બનેલો છે ?
Answer: પોલિમર
124. આયુર્વેદિક ડોક્ટર બનવા માટે કઈ ડિગ્રીની જરૂર પડે?
Answer: બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી (બીએએમએસ)
125. ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે?
Answer: કચ્છ
126. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના નાના વેપારીઓ માટે નેટવર્ક અને વ્યવસાયોનું સંચાલન કરવા ક્યું ડિજીટલ પ્લેટફોર્મ નો શુભારંભ કરેલ છે ?
Answer: ઓપન નેટવર્ક ડીજીટલ કોમર્સ
COLLEGE LEVEL QUESTION ANSWER
ખેડૂતોને શૂન્ય વ્યાજ દર પર ધિરાણ કરવા ભારત સરકાર કેટલા ટકા વ્યાજ ચૂકવશે ?
Answer: 3 ટકા
2. દરિયાઈ સુરક્ષાના ભાગરૂપે કેન્દ્ર સરકારશ્રી દ્વારા તમામ દરિયાઈ માછીમારોની ઓળખ માટે કયું કાર્ડ આપવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે ?
Answer: બાયોમેટ્રીક કાર્ડ
3. ગુજરાતમાં સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (એસ.ડી.એ.યુ.) કયા જિલ્લામાં આવેલી છે?
Answer: બનાસકાંઠા
4. 2021 માં 'મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ' માટે MOU પર કોણે હસ્તાક્ષર કર્યા?
Answer: ગુજરાત શિક્ષણ વિભાગ અને કેમ્બ્રિજ પાર્ટનરશીપ ફોર એજ્યુકેસન
5. કાઉન્સિલ ઓફ ઈન્ડસ્ટ્રી એકેડેમિયા કોલેબોરેશન અંતર્ગત,શેના માધ્યમથી વિદ્યાર્થીઓને તાલીમ આપવાની વાત છે?
Answer: ઉદ્યોગમાં ઈન્ટર્નશીપ
6. એપ્રેન્ટિસશીપ તાલીમને પ્રોત્સાહન આપવા અને એપ્રેન્ટિસને જોડવા માંગતા નિયોક્તાઓને પ્રોત્સાહિત કરવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી?
Answer: નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમોશન સ્કીમ
7. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા અને શિક્ષકો અને શાળાઓને ગ્રેડ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે?
Answer: ગુણોત્સવ
8. ૨૦૧૬ થી ૨૦૨૧ દરમિયાન "વનબંધુ કલ્યાણ યોજના" હેઠળ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં કેટલા નવાં સબસ્ટેશનો ઊભા કરવામાં આવ્યાં છે?
Answer: 122
9. કચ્છમાં લિગ્નાઇટ આધારિત પાવર સ્ટેશન ક્યાં આવેલું છે?
Answer: પાનન્ધ્રો
10. કઈ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં કૃષિ ફીડર્સમાં જૂના/બગડેલા કંડકટરોને બદલીને વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠા દ્વારા જાહેર સેવાઓ અને સુવિધાઓમાં સુધારો અને વધારો કરવાનો ઉદ્દેશ્ય છે?
Answer: સરદાર કૃષિ જ્યોતિ યોજના
11. ગુજરાતની કુલ સ્થાપિત ઊર્જાક્ષમતામાં પુનઃપ્રાપ્ય ઊર્જાક્ષેત્રનો હિસ્સો કેટલા ટકા છે ?
Answer: 30 ટકા
12. શરૂઆતમાં કયા શહેરમાં રિઝર્વ બેંકની મધ્યસ્થ કચેરીની સ્થાપના કરવામાં આવી હતી ?
Answer: કોલકાતા
13. ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસ લિમિટેડ દ્વારા લિક્વિડ ડિપોઝિટ સ્કીમ કેટલા દિવસથી ઓછા સમય માટે પણ ખૂબ જ ટૂંકા ગાળાના ભંડોળ પર વ્યાજ મેળવવાની સુવિધા આપે છે?
Answer: 15
14. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત પાંચમી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
Answer: ₹ 11,00,000
15. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત પાંચમી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
Answer: ₹ 16,00,000
16. 'અમૃતા' નવલકથાના સર્જકનું નામ શું છે ?
Answer: રઘુવીર ચૌધરી
17. ગુજરાત સરકારે માતૃભૂમિ પર વિકાસલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવા,દાન સ્વીકારવા માટે કઈ યોજના શરૂ કરી છે ?
Answer: વતન પ્રેમ યોજના
18. 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી ?
Answer: કોચરબ આશ્રમ
19. પૂજય શ્રી મોટાનું મૂળ નામ શું હતું ?
Answer: ચુનીલાલ આશારામ ભાવસાર
20. ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાનું સૌ પ્રથમ કયું નગર મળી આવ્યું હતું ?
Answer: રંગપુર
21. કયો ગ્રીક નાવિક ઘણા વર્ષો સુધી ભરૂચમાં રહ્યો હતો ?
Answer: પેરીપ્લસ
22. વિખ્યાત બાર્ટન લાઈબ્રેરી ક્યાં આવેલી છે ?
Answer: ભાવનગર
23. સ્ત્રીપાત્રોની ભૂમિકાને ગુજરાતી રંગભૂમિ પર જીવંત કરનાર નટ કોણ હતા ?
Answer: જયશંકર 'સુંદરી'
24. 'સિદ્ધહેમશબ્દાનુશાસન' કોના સમયમાં લખાયું ?
Answer: સિદ્ધરાજ સોલંકી
25. સ્નેહરશ્મિએ જાપાનના કયા કાવ્યપ્રકારનો પ્રયોગ ગુજરાતીમાં કર્યો છે ?
Answer: હાઇકુ
26. અથર્વવેદને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?
Answer: બ્રહ્મવેદ
27. બૌદ્ધ સાધુઓને કયા નામે ઓળખવામાં આવે છે ?
Answer: લામા
28. 'ગોરા' કોની રચના છે?
Answer: રવીન્દ્રનાથ ટાગોર
29. અમૃતલાલ પારેખ કયા સત્યાગ્રહથી જાણીતા બન્યા હતા?
Answer: પાંચ તલાવડા
30. ફિકસ લેકર (પીપળ) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે?
Answer: શ્રી શીતલનાથ સ્વામી
31. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ વનઉછેર યોજના અન્વયે કઈ જમીનો ઠરાવ કરીને વન વિભાગને આપવામાં આવે છે?
Answer: ગૌચરની જમીન
32. પરિસરતંત્રોના વૈવિધ્યની સમૃદ્ધિની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં કયા ક્રમાંકે આવતું રાજ્ય છે?
Answer: છઠ્ઠા ક્રમાંકે
33. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના શૂળત્વચી જોવા મળે છે ?
Answer: 765
34. એફ.એસ.આઈ. દ્વારા કરવામાં આવેલા લાંબા ગાળાના વલણ એનિલેસી અનુસાર, ભારતમાં વન આવરણ હેઠળનો કેટલો વિસ્તાર ખૂબ જ હાઇ ફાયર ઝોન છે ?
Answer: 10 ટકા
35. ગુજરાત વન વિભાગના વર્ષ 2011ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે સાંભર(Sambar) હરણની સંખ્યા કેટલી છે?
Answer: 4497
36. બન્ની ઘાસનાં મેદાનો કયા જિલ્લામાં આવેલા છે?
Answer: કચ્છ
37. ગુજરાતમાં સૌથી લાંબી ડાઈક (ખાઈ) ક્યાં આવેલી છે ?
Answer: સરધાર-રાજકોટ
38. રાજ્યમાં પ્રદૂષણની સમસ્યાઓ અને તેના નિવારણ માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કયો અભિગમ અપનાવવામાં આવ્યો છે ?
Answer: પર્યાવરણ ક્લિનિક - ઓપન હાઉસ
39. 'આઝાદી કા અમૃત મહોત્સવ' હેઠળ આકાશવાણી પરથી સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન અને બલિદાનને બિરદાવતા કાર્યક્રમનું નામ શું છે ?
Answer: આઝાદી કા સફર
40. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ઇલેક્ટ્રિક વાહન પોલિસી હેઠળ RTOમાં ઈ-વાહન નોંધણી ફીમાં કેટલા ટકાની છૂટ આપવામાં આવે છે ?
Answer: 100 ટકા
41. ભારત સરકારના સુશાસન અંતર્ગત ' સબકા વિકાસ મહાક્વીઝ 'નું આયોજન કયા પોર્ટલ પર કરવામાં આવ્યું છે?
Answer: MyGov પોર્ટલ (માય જીઓવી -પોર્ટલ )
42. ચિરોલોજી શું છે?
Answer: હથેળી પર રેખાઓનો અભ્યાસ
43. કયું મંત્રાલય સત્તાવાર ભાષાને લગતા મહત્ત્વના નિર્ણયો લે છે?
Answer: ગૃહ મંત્રાલય
44. 'વીર મેઘમાયા બલિદાન' પુરસ્કાર અર્પણ કરવાની યોજનાની ઘોષણા માનનીય મુખ્યમંત્રીશ્રી એ ક્યાંથી કરી હતી?
Answer: પાટણ
45. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી ઓછી વસતી ધરાવતુ રાજ્ય કયું હતુ?
Answer: સિક્કીમ
46. કઈ યોજનાનો હેતુ જાહેર આરોગ્ય સુવિધાની મુલાકાત લેતી કોઈપણ મહિલા અને નવજાત શિશુને વિના મૂલ્યે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાનો છે?
Answer: સુમન યોજના
47. 'નિક્ષય પોષણ યોજના' હેઠળ સારવારના સંપૂર્ણ સમયગાળા માટે ટીબીના દરેક સૂચિત દર્દીને દર મહિને કેટલી રકમ આપવામાં આવે છે ?
Answer: 500
48. નીચેના પૈકી કયુ વેબ પોર્ટલ નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ હેઠળ ટીબીના નિયંત્રણ માટે દર્દી વ્યવસ્થાપનનું છે ?
Answer: nikshay.in
49. PM-ABHIM નું પૂરું નામ શું છે ?
Answer: પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન
50. ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, રૂરલ ઇંડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમ હેઠળ, લાઇવલીહૂડ બિઝનેસ ઇન્ક્યુબેટર (એલબીઆઈ)નું કાર્ય શું છે?
Answer: ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે કૌશલ્ય વિકાસ અને ઇન્ક્યુબેશન પ્રોગ્રામ્સ આપવા.
51. ખાદી કારીગરો માટે વર્ક-શેડ યોજનાનો મુખ્ય ફાયદો શો છે?
Answer: સ્લિવર, કાચો માલ, ઓજારો વગેરે માટે વધુ સંગ્રહ અને કામ કરવાની જગ્યા પૂરી પાડવા માટે.
52. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રોજેક્ટનો ઉદ્દેશ શો છે?
Answer: દેશમાં અગરબત્તી ઉદ્યોગને સક્રિય કરવો.
53. પ્રોક્યુરેમેન્ટ એન્ડ માર્કેટિંગ સપોર્ટ (પીએમએસ) યોજનાનો ઉદ્દેશ શો છે?
Answer: વેપાર મેળામાં વ્યક્તિગત MSEને ભાગ લેવા પ્રોત્સાહન આપવું
54. કયા માર્ગે થતો વેપાર ગુજરાતના અર્થતંત્રમાં સૌથી મહત્ત્વની ભૂમિકા અદા કરે છે ?
Answer: દરિયાઇ માર્ગ
55. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગી લગ્ન સહાય યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ.5100
56. ગુજરાત સરકાર દ્વારા 'ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના' હેઠળ બાંધકામ શ્રમિકની દીકરીને કેટલી રકમનાં બોન્ડ આપવામાં આવે છે ?
Answer: રુ. 10000/-
57. શ્રમયોગી માટે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમના બિલ મંજૂર કરાવવા માટે બિલ સાથે શું જોડવું જોઈએ ?
Answer: શ્રમ કલ્યાણ વિભાગ અને સંસ્થાનાં બેનરો સાથે 10 થી વધુ તસવીરો
58. ભારત સરકારની જન શિક્ષણ સંસ્થાઓની નોંધણી માટે કયો કાયદો છે ?
Answer: સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ -1860
59. કાયદા અને ન્યાય મંત્રાલયમાં લેજિસ્લેટિવ વિભાગનું મુખ્ય કાર્ય શું છે?
Answer: મુખ્ય કાયદાનો મુસદ્દો તૈયાર કરવો
60. કલમ 80 કયા વિષય સાથે સંબંધિત છે?
Answer: રાજ્યસભાની રચના
61. સરકારિયા કમિશન કોની સાથે સંબંધિત છે?
Answer: કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું સંતુલન
62. રાજ્યો દ્વારા જહાજોની નોંધણી, માલસામાન અને મુસાફરોની સલામત વહન સહિત આંતરદેશીય જહાજ નેવિગેશનના નિયમન માટે કયો અધિનિયમ પ્રદાન કરવામાં આવ્યો છે?
Answer: ધ ઇનલેન્ડ વેસેલ્સ બિલ 2021
63. ભારતના બંધારણનો અનુચ્છેદ-44 શેની સાથે જોડાયેલ છે ?
Answer: યુનિફોર્મ સિવિલ કોડ
64. કાયદાપંચનું મુખ્યાલય ક્યાં આવેલું છે?
Answer: નવી દિલ્હી
65. પંચાયતરાજ સાથે સંકળાયેલી સંસ્થાઓની ગવર્નન્સ ક્ષમતાઓને વધારવા માટે નીચેનામાંથી કઈ નવી પુનઃરચિત યોજના શરૂ કરવામાં આવી હતી ?
Answer: રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન
66. ECOMARK શેનાથી સંબંધિત છે?
Answer: પર્યાવરણ માટે સલામત સામાન
67. અટલ ભુજલ યોજનાનો હેતુ શો છે ?
Answer: ટકાઉ ભૂગર્ભ જળ વ્યવસ્થાપનની સુવિધા
68. ગુજરાતના ખેડૂતોના લાભાર્થે સુજલામ સુફલામ સ્પ્રેડીંગ કેનાલ પ્રોજેક્ટનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે કેટલી નદીઓને જોડવામાં આવશે?
Answer: 21
69. ગુજરાત સરકાર દ્વારા 2007માં શરૂ કરાયેલા દસ મુદ્દાના કાર્યક્રમ 'વનબંધુ કલ્યાણ યોજના'માં 'સિંચાઈ'નો કયા નંબર પર સમાવેશ કરવામાં આવ્યો છે?
Answer: પોઈન્ટ નંબર 7
70. સૌની યોજનાનો ત્રીજો તબક્કો કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો?
Answer: શ્રી વિજયભાઈ રૂપાણી
71. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા માર્ચ 2022માં સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાની ગાંધીનગર જિલ્લાના કયા ગામથી શરૂઆત કરવામાં આવી હતી?
Answer: કોલવડા
72. માઈક્રો સિંચાઈ યોજનાના અમલીકરણ માટે ગુજરાત સરકાર દ્વારા કઈ એજન્સીની સ્થાપના કરવામાં આવી છે?
Answer: ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની
73. ગુજરાતમાં 5000 થી 25,000ની વસ્તી ધરાવતી 'સામાન્ય સમરસ ગ્રામ પંચાયત'ને ત્રીજી વાર કેટલા રુપિયાનું અનુદાન 'સમરસ ગ્રામ પંચાયત' યોજના હેઠળ આપવામાં આવે છે?
Answer: 4,68,750 Rs.
74. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ના બીજા તબક્કાનો સમયગાળો કયો છે?
Answer: 2020-2021 થી 2024-2025
75. ગુજરાતની 'સરદાર પટેલ આવાસ યોજના-2' હેઠળ પ્રથમ તબક્કામાં 'પક્કા હાઉસ'નો લાભ મેળવવા માટે એ.પી.એલ(APL)નો સ્કોર કેટલો હોવો જોઈએ?
Answer: 21 થી 28
76. 'સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી' ની કુલ ઊંચાઈ કેટલી છે?
Answer: 216 ફૂટ
77. ગુજરાતમાં કેટલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત છે?
Answer: 3
78. પ્રસિદ્ધ બ્લેકબક નેશનલ પાર્ક ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે?
Answer: વેળાવદર
79. પ્રવાસન મંત્રાલયે 2017 થી 2019 દરમિયાન હિન્દીમાં પ્રવાસન પર લખાયેલા પુસ્તકો માટે ક્યો એવોર્ડ આપવાની ઘોષણા કરી?
Answer: રાહુલ સાંકૃતાયન પર્યટન પુરસ્કાર યોજના
80. 2017 માં ભારતમાલા પરિયોજના હેઠળ બાંધવામાં આવેલા નવા બ્રહ્મપુત્રા બ્રિજના પ્રોજેક્ટની કુલ કિંમત કેટલી હતી?
Answer: Rs 475 કરોડ
81. ગુજરાત સરકારે 'ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી' ની સ્થાપના ક્યારે કરી ?
Answer: 2016
82. અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડની કુલ લંબાઈ કેટલી છે ?
Answer: 76 કિ.મી.
83. મહેસાણામાં 'કમલ પથ રોડ' લોકો માટે કયા વર્ષમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો?
Answer: 2021
84. સરકારની કઈ યોજના બાળકીનાં માતાપિતાને તેમના બાળકીના ભાવિ શિક્ષણ અને લગ્નખર્ચનુ ભંડોળ ભેગું કરવા માટે પ્રોત્સાહિત કરે છે?
Answer: સુકન્યા સમૃદ્ધિ યોજના
85. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એચઆરડી) દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક ટ્રેકિંગ માટે શરૂ કરવામાં આવેલી યોજના ASHMITAનું આખું નામ શું છે?
Answer: ઓલ સ્કૂલ મોનિટરિંગ ઈંડિવિજ્યુલ ટ્રેસિંગ એનાલિસિસ
86. પીએમ સ્ટ્રીટ વેન્ડરના આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) હેઠળ પ્રોત્સાહનોના સ્વરૂપો શું છે?
Answer: લોનની નિયમિત પુનઃચુકવણી પર વાર્ષિક 7 ટકાના દરે વ્યાજ સબસિડી અને નિયત ડિજિટલ વ્યવહારો હાથ ધરવા પર દર વર્ષે રૂ. 1200/- સુધીનું કેશબેક
87. ભારતના સૌપ્રથમ નોબલ પારિતોષિક વિજેતા કોણ હતા?
Answer: રવીન્દ્રનાથ ટાગોર
88. ગુજ્રરાત સરકારશ્રીની 'દિવ્યાંગ લગ્ન સહાય યોજના'નો લાભ લેવા માટેનું અરજીપત્રક કઈ કચેરીમાંથી મેળવવાનું હોય છે?
Answer: જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાંથી
89. સ્કોલરશીપ ટુ સ્ટુડન્ટ ફોર ITI પ્રોફેશનલ કોર્સિસ સ્ટડી યોજનાનો લાભ લેવા ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા વિદ્યાર્થીની કૌટુંબિક આવક કેટલી હોવી જોઈએ?
Answer: મહત્તમ 1,20,000
90. ધોરણ 10 અને ધોરણ 12નાં સફાઈ કામદારનાં બાળકોને ઇનામ /પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારશ્રીની યોજના હેઠળ ધોરણ ૧૨ નાં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને કેટલી રકમ આપવામાં આવે છે?
Answer: રૂ.11,000
91. સ્કીલ ઇન્ડિયા મિશનમાં રજીસ્ટ્રેશન કરવા માટેની વેબસાઇટ કઈ છે?
Answer: www.msde.gov.in
92. ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઈ છે ?
Answer: છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય
93. 'મમતા તરૂણી યોજના' અંતર્ગત સહાય મેળવવા આવક મર્યાદા કેટલી રાખેવામાં આવેલી છે ?
Answer: કોઈ આવક મર્યાદા નથી
94. 'ડૉ.આંબેડકર સરકારી કન્યા છાત્રાલય'માં પ્રવેશ મેળવવા માટે અરજી સમયે નીચેનામાંથી કયો પુરાવો રજૂ કરવો પડે છે ?
Answer: આવકનો દાખલો
95. કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના 'સુકન્યા સમૃદ્ધિ યોજના'નું સ્વરૂપ કેવું છે ?
Answer: માસિક બચત યોજના
96. ગુજરાતમાં કાનમનો પ્રદેશ કયા પાક માટે જાણીતો છે ?
Answer: કપાસ
97. ચિતરંજન દાસનું ઉપનામ કયું છે?
Answer: દેશબંધુ
98. મહાયાન કયા ધર્મનો સંપ્રદાય છે?
Answer: બૌદ્ધ
99. ભારતનું નીચેનામાંથી કયું રાજ્ય પ્રખ્યાત તળાવ 'ફુલહાર' માટે જાણીતું છે?
Answer: ઉત્તર પ્રદેશ
100. વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે ?
Answer: સાતમું
101. બલબીર સિંહ જુનિયર કઈ રમત સાથે સંકળાયેલા છે?
Answer: હોકી
102. 2007-2013 સુધી નિર્વિવાદ વિશ્વ ચેસ ચેમ્પિયન કોણ છે?
Answer: વિશ્વનાથન આનંદ
103. RSBY નું પૂરું નામ શું છે?
Answer: રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના
104. ભારતના બંધારણમાં 'સંયુક્ત/સમવર્તી યાદી'એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?
Answer: ઓસ્ટ્રેલિયા
105. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
Answer: અનુચ્છેદ-54
106. આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
Answer: ભાલણ
107. નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસ, ઇન્ડિયાનું હેડ ક્વાર્ટર ક્યાં આવેલું છે?
Answer: પ્રયાગરાજ
108. શરીરમાં પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે?
Answer: લીવર
109. ભારતરત્ન પુરસ્કારની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
Answer: 1954
110. વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે નીચેનામાંથી કોને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
Answer: ડૉ. ચંદ્રશેખર કમ્બારા
111. 'ગાંધી જયંતી' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 2 ઑક્ટોબર
112. 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 8 માર્ચ
113. ભારતીય રેલ્વેએ સૌપ્રથમ સૌર ઉર્જા પ્લાન્ટ કયા સ્થળે સ્થાપ્યો છે?
Answer: બીના
114. ભારતનું કયું શહેર બ્લુ સિટી તરીકે ઓળખાય છે?
Answer: જોધપુર
115. ગુજરાતી સાહિત્યના કયા સર્જક 'મૂછાળી માં'ના નામથી જાણીતા થયા છે ?
Answer: ગિજુભાઈ બધેકા
116. ‘હોપ’ – દરેક જગ્યાએ લોકોને મદદ કરવી, પોર્ટલ એ કયા ભારતીય રાજ્યની પહેલ છે?
Answer: ઉત્તરાખંડ
117. ભારતીય વાયુસેનાનું કયું ફાઇટર એરક્રાફ્ટ મીગ-21નું સ્થાન લેશે?
Answer: એલ.સી.એ તેજસ
118. ગુજરાતની પ્રથમ બુનિયાદી શાળા શરૂ કરાવનાર મહાનુભાવનું નામ શું છે?
Answer: બબલભાઈ
119. જહાજ મહેલ ક્યાં આવેલો છે?
Answer: માંડુ
120. 'વસંતપંચમી' ના દિવસે કયા દેવીની ઉપાસના કરવામાં આવે છે?
Answer: સરસ્વતી
121. ભારતમાં અંગ્રેજીમાં લખનાર નાટ્યકાર નીચેનામાંથી કોણ છે?
Answer: ગિરીશ કર્નાડ
122. રંગ અંધત્વ ધરાવતા માણસને લાલ રંગ તરીકે શું દેખાય છે?
Answer: લીલો
123. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ શેનો ભાગ છે?
Answer: સિસ્ટમ યુનિટ
124. મોઢેરાના સૂર્ય મંદિરના કુંડનું નામ શું છે?
Answer: રામકુંડ
125. કલ્પના ચાવલાનો જન્મ ક્યાં થયો હતો ?
Answer: કરનાલ, હરિયાણા
126. જે બાળકોના માતા પિતા તેમજ કોઈ સગાં સંબંધી ના હોય તેવા બાળકોને ભારત સરકાર દ્વારા કઈ યોજના અનુસાર ચાઈલ્ડ કેર ઇન્સ્ટિટ્યુશનમાં તેમની સંભાળ લેવામાં આવે છે ?
Answer: PM care for children
Comments
Post a Comment